Saturday, June 18, 2016
Sunday, March 27, 2016
Monday, March 14, 2016
ભારત તરફનાં નવા જળમાર્ગની શોધ
૧૪૫૩ માં તુર્ક મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે ધર્મયુદ્ધો ની શરૂઆત થઇ જેમાં ઓટોમાન તુર્કો વિજયી બનતા ખ્રિસ્તીઓના તાબા હેઠળના તુર્કીના કોન્સ્ટેન્ટીનોપલ ( ઈસ્તંબુલ) નું પતન થયું અને તે તુર્ક મુસ્લિમો એ જીતી લીધું. આ શહેર એશિયા અને યુરોપ વચ્ચેનું પ્રવેશ દ્વાર ગણાતું હતું.
આ સ્થળમાર્ગનો ઉપયોગ કરીને યુરોપિયન વ્યાપારીઓ ભારત
આવતા અને અહીની પ્રખ્યાત વસ્તુઓ – મલમલ, શણ, કપાસ,રેશમ, મરી મસાલા, તેજાના, વગેરે
યુરોપમાં ઉંચી કીમતે વેંચતા.
પણ હવે ઈસ્તંબુલનું પ્રવેશદ્વાર બંધ થતા યુરોપિયન
લોકોએ ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરીયાત ઉભી થઇ. જેમાં અલગ અલગ નાવિકો
અને રાજાઓ નું યોગદાન રહેલું.
હેનરી- ધ નેવીગેટર –
આ શોધખોળોમાં પોર્ટુગલના રાજા હેનરીએ મહત્વની કામગીરી
બજાવી હતી. તેણે નાવિકોને શોધખોળો અને દરિયાઈ તાલીમ આપવા “
નાવિક સ્કૂલ “ બનાવી અને તોફાનોમાં પણ મુસાફરી કરી શકે તેવું કારાવેલ- CARAVEL નામનું વહાણ પણ બનાવેલું.
તેણે
ભૂગોળવેતાઓ, ગણિતશાસ્ત્રીઓ,કપ્તાનો, નાવિકો, નકશા આલેખનકારો નો કાફલો ઉભો કરેલો. આવી
સાહસિક પ્રવૃતિના કારણે તેને “ નેવીગેટર” કહેવાય
છે.
બાર્થો-લોમ્યું-ડાયઝ -
તે રાજા હેનરીનો નાવિક હતો. તેણે હેનરીની સહાયથી
એટલાન્ટીક મહાસાગર પાર કરીને આફ્રિકા ખંડના દક્ષીણ છેડેનાં બંદર સુધી પહોચવાનો
પ્રયાસ કરેલો. ને ત્યાંથી તે હેનરી પાસે પોર્ટુગલ પાછો ફર્યો અને નકશા તૈયાર
કર્યા.
મોઝામ્બિક બંદર
પાસેની આ જગ્યાને હેનરીએ “ કેપ ઓફ ગૂડ હોપ “ ( હાલનું
– કેપ ટાઉન ) નામ આપ્યું. કારણ કે ડાયઝએ શોધેલા આ સ્થળથી ભારત તરફ જવાનો નવો માર્ગ
શોધી શકાશે તેવી રાજાને આશા બંધાઈ હતી.
કોલંબસ –
તે મૂળ ઇટાલીનો ખલાસી હતો. તે દુનિયા ગોળ છે અને
સમુદ્રથી ઘેરાયેલ છે તેમ ચુસ્ત રીતે માનતો
હતો. તે પશ્ચિમ દિશામાં આગળ વધી ભારત પહોચવા માંગતો હતો
.
સ્પેનની રાની ઈસાબેલની મદદથી તે ૮૮ નાવિકોના કાફલા
સાથે ૩ જહાજ “ સાંટા મારિઆ, સાંટા નીના, સાંટા પીટા” સાથે સ્પેન થી નીકળેલો અને એટલાન્ટીક
ને પાર કરીને તે હાલનાં વેસ્ટ ઇન્ડીઝ નાં ટાપુ પર
પહોચ્યો. તે એવું જ માનતો રહ્યો કે ભારતના પશ્ચિમકિનારા ના ટાપુ પર છે. આથી ત્યાના
લોકોને રેડ ઇન્ડિયન કહેલા.
જીવનનાં અંત સુધી તે એવું જ માનતો રહ્યો કે તેણે ભારતની
શોધ કરી છે પણ અમેરીગો વેસ્પુચી નામનાં ઇટાલિયન ખલાસીએ
તેની આ ભૂલ ને સુધારી આથી આગળ જતા વિશ્વનાં નકશા બનાવતી વખતે વાલ્ડ-સી-મુલર એ કોલંબસ એ શોધેલા નવા ખંડને અમેરીગોનાં
નામ પરથી અમેરિકા એવું નામ આપ્યું.
વાસ્કો- ડી-ગામા –
પોર્ટુગલ રાજાની આર્થીક સહાયથી તે ૪ જહાજો અને ૧૧૮ માણસોના
કાફલા સાથે પોર્તુગલનાં લીસ્બન બંદર થી નીકળી
એટલાન્ટીક મહાસાગર ને પાર કરી “ કેપ ઓફ ગૂડ હોપ “
સુધી પહોચ્યો.
ત્યાંથી પૂર્વ કિનારે આગળ વધી માલીન્દી બંદર પહોચ્યો.
ત્યાં ભારતીય ખલાસી એહમદ ઈબ્ન મજીદ ( ગુજરાતના
ઈતિહાસ મુજબ – કાનજીભાઈ માલમ ) ની મદદથી ૧૪૯૮મા
માલાબાર કિનારાના કાલીકટ બંદર પર ઉતર્યો.
કાલીકટના
રાજા ઝામોરીન ( સામુદ્રિક ) એ તેને પોતાના
રાજ્યમાં વ્યાપારની સગવડ કરી આપી. થોડા મહિના અહી રોકાઈને તે પોર્ટુગલ પાછો ફર્યો.
અને તેણે આ જળમાર્ગનાં આધારે નવા નકશા તૈયાર કરાવ્યા.
આ રીતે યુરોપ ભારત આવવા માટે આ નવા જળમાર્ગ થી જાણકાર
બન્યું. તે ૧૫૦૨ માં ૧૫ જહાજોના કાફલા સાથે ફરી ભારત આવ્યો. અને તે પોર્તુગીઝોનો ભારતમાં વહીવટકરતા બનેલો. અને
અંતે ૧૫૨૪ કેરલનાં કોચીમાં જ મૃત્યુ પામેલ.
મેગેલન –
તે પોર્ટુગલનો હતો. તેણે સમગ્ર પૃથ્વીની સમુદ્ર
માર્ગે પ્રદક્ષિણા કરીને સાબિત કર્યું હતું કે પૃથ્વી ગોળ છે.
તે ૧૫૧૯ માં અમેરિકા થઈને ભારત આવવા નીકળેલ. સ્પેનની
મદદ થી ૫ જહાજો અને ૨૭૦ માણસો નાં કાફલા સાથે તે નીકળેલો. એટલાન્ટીક મહાસાગર ને
પાર કર્યા બાદ દક્ષીણ અમેરિકા ખંડ નાં છેડે પહોચેલો. જે એક સાંકડી સમુદ્રધધુની
હતી. ( આજે તેને મેગેલનની યાદ માં “ મેગેલન સામુદ્રધુની” કહેવાય છે )
આ સામુદ્રધુનીને ૩૮ દિવસ માં પસાર કરીને તે એક મોટા શાંત
સાગર માં પ્રવેશ્યો અને તેણે આ સાગર ને
પ્રશાંત મહાસાગર ( પેસિફિક મહાસાગર ) એવું નામ આપેલ.
ત્યાંથી તે આગળ વધતા ૧૫૨૧ માં
ફિલીપાઈન્સ નાં ટાપુ પર પહોચેલ. પણ ત્યાના મકરાન
નામના એક ટાપુ પરના આદિવાસીઓ સાથેની લડાઈમાં મેગેલાના અને તેના સાથીઓ માર્યા ગયા.
બચેલા સાથીદારો એ “
વિક્ટોરિયા” અને “ટ્રીનીટી” જહાજોની મુસાફરી
ચાલું જ રાખી અને અંતે વિક્ટોરિયા નાં ૧૮ મુસાફરો આબાદ રીતે સ્પેન પાછા ફર્યા અને
મેગેલન ની ભવ્ય સાહસિક કહાની યુરોપમાં
ફેલાઈ.
Saturday, February 6, 2016
Tuesday, February 2, 2016
Sunday, January 31, 2016
Saturday, January 30, 2016
Friday, January 29, 2016
Thursday, January 28, 2016
Wednesday, January 13, 2016
Monday, January 4, 2016
Sunday, January 3, 2016
Subscribe to:
Posts (Atom)





















